valsad:હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં આકાશ સંપૂર્ણ વાદળછાયું રહેશે
valsad:હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં આકાશ સંપૂર્ણ વાદળછાયું રહેશે
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં આકાશ સંપૂર્ણ વાદળછાયું રહેશે અને છૂટીછવાઈ જગ્યાઓમા ભારેથી અત્યાધિક ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગાહીને ધ્યાનમાં લઈ આ સમયે વાતાવરણને કારણે ખેડૂતોને ભારે વરસાદ સામે ખેતી કાર્યો માટે નીચે મુજબની કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂત જોગ સંદેશ પાઠવવામાં આવ્યો છે.
• જો પવનની ગતિ ૧૫ કિમી પ્રતિ કલાક કરતાં વધુ હોય તો ખેતરમા કેમિકલ જેવો કે પેસ્ટીસાઇડનો
• છંટકાવ ન કરવો.
• ખાતર આપવાની કામગીરી થોડા દિવસ પુરતી મુલતવી રાખવી.
• ખેતરના જુદા જુદા ખેતી કાર્યો કરવા નહીં.
• વધુ ઝડપી પવન સામે રક્ષણ માટે ઉભા બાગાયતી અને શાકભાજી પાકોની જાળવણી માટે લાકડાના
અથવા વાંસ વડે યાંત્રિક ટેકા આપવા.
• ખુબ વીજળી અને વરસાદના સમયે પશુ વૃક્ષ નીચે બાંધવા નહિ.
• શેરડીના પાકમાં આજુબાજુના સાંઠાઓને બાંધી દેવા જેથી પવનની ઝડપ તેમજ વધુ વરસાદ સામે ટકી
શકે.
• જો ખેતરમાં વધુ વરસાદી પાણી હોય, તો વધારાનું પાણી નીકળી ન જાય ત્યાં સુધી ડાંગરની રોપણી
કરવાનું ટાળો.
હવામાન ખાતાની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વલસાડ જિલ્લામાં આકાશ સંપૂર્ણ વાદળછાયું રહેશે અને છૂટીછવાઈ જગ્યાઓમા ભારેથી...
Posted by INFO Valsad GOV on Monday, July 22, 2024
Comments
Post a Comment