Khergam|shamala faliya| Pomapal :શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો. તારીખ : 26-06-2024નાં દિને શામળા ફળિયા ક્લસ્ટરની શામળા ફળિયા પ્રાથમિક શાળા અને પોમાપાળ શાળાનો સયુંકત કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ 2024 યોજાયો હતો. જે નાયબ પોલિસ અધિક્ષકશ્રી ( વિભાગીય), ચીખલીનાં માનનીય શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં શામળા ફળિયા પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 4 બાળકો, ધોરણ 1માં 8 બાળકો અને આંગણવાડીમાં 1 બાળક, જ્યારે પોમાપાળ પ્રાથમિક શાળામાં બાલવાટિકામાં 5 બાળકો, ધોરણ 1માં 7 બાળકો અને આંગણવાડીમાં 2 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાહેબશ્રી શાળાનાં આચાર્યશ્રી પ્રજ્ઞાબેન પટેલ દ્વારા પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી ભગીરથસિંહ ગોહિલ સાહેબ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને દફતર અને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ દ્વારા પ્રવેશપાત્ર બાળકોને નોટબુક સહિત શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ખેરગામ ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ અને ર
Valsad: વલસાડ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ચાર તબક્કામાં તા. ૨૪ જુલાઈ સુધી ઉજવણી કરાશે ‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’નો નારો ગુંજી ઉઠશે જન સંખ્યા સ્થિરતા લાવવા કુટુંબ નિયોજનની કાયમી- બિનકાયમી પધ્ધ્તિ અપનાવાઈ તે માટે પ્રયત્નો કરાશે માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૧ જૂન વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વસ્તી સ્થિરતા માટે જરૂરી જાગૃતિ ફેલાવવા વિવિધ આરોગ્ય વિષયક પ્રવૃતિઓનું આયોજન હાથ ધરાયું છે. જિલ્લામાં વસવાટ કરતાં તમામ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર થીમ સાથે વસ્તી દિવસ ૨૦૨૪ની ઉજવણી કરવામાં આવશે. ‘‘વિકસિત ભારતની નવી પહેચાન- કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’’ના નારા સાથે આ ઉજવણીને ઘર ઘર સુધી ગુંજતી કરવામાં આવશે. આ ઉજવણી ચાર તબક્કામાં ઉજવાશે. જેમાં પ્રથમ તબક્કામાં તા. ૧ થી ૨૦ જૂન સુધી પ્રચાર પ્રસાર તાલીમ આયોજન કરાયું હતું. બીજા તબક્કામાં તા. ૨૭ જૂનથી ૧૦ જુલાઈ સુધી લોક સમુદાય સંપર્ક પખવાડીયું, ત્રીજા તબક્કામાં તા. ૧૧ થી ૨૪ જુલાઈ સેવાઓ પુરી પાડવી અને ચોથા તબક્કામાં સારી કામગીરી કરવા બદલ સન્માન અને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ
Valsad: વલસાડ જિલ્લામાં ૨૩ જૂન રવિવાર પોલીયો દિવસ” અંતર્ગત સ્ટીયરીંગ કમિટીની મીટીંગ તથા વર્કશોપ યોજાયો જિલ્લામાં કુલ ૭૨૩ પોલીયો બુથો પર અંદાજીત ૧,૮૦,૭૫૦ બાળકોને પોલીયોનાં ટીપા પીવડાવાશે બાકી રહી ગયેલા બાળકોને બીજા અને ત્રીજા દિવસે ૧૧૪૬ ટીમ દ્વારા ટીપા પીવડાવવામાં આવશે. માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૦ જૂન વલસાડ જિલ્લામાં આગામી તા. ૨૩ થી ૨૫ જુન ૨૦૨૪ દરમ્યાન પોલિયો ઝુંબેશ યોજવામાં આવશે. જિલ્લાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવવામાં આવશે. “ નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે” ૨૩ જુન ૨૦૨૪ ની કામગીરી અન્વયે તા. ૨૦/૦૬/૨૦૨૪ નાં રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને પોલિયો સ્ટીયરીંગ કમિટીની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા વહિવટી તંત્રના તમામ વિભાગના અધિકારી, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. વલસાડ જિલ્લા આરોગ્ય શાખા, સિવિલ હોસ્પિટલ, કેમ્પસ ખાતેનાં રોજ આગામી ૨૩ જુન રવિવાર પોલીયો દિવસ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીનાં અધ્યક્ષસ્થાને વર્કશોપ પણ યોજાયો હતો. જેમાં જિલ્લાનાં આરોગ્ય શાખાનાં અધિકારીઓ તથા પ્રા.આ.કેન્દ્રનાં મેડિક
Comments
Post a Comment